ઉત્તર પ્રદેશમાં હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે અને રાજકીય પક્ષો મતદારોને પોતાના તરફ ખેંચવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. દેશની સૌથી વધુ વિધાનસભાની બેઠકો ધરાવતા ઉત્તરપ્રદેશની ગાદીને પ્રાપ્ત કરવા માટે બનતા બધા જ પ્રયત્નો કરવામાં આવશે. જે રાજ્યમાં ચૂંટણી હોય તે રાજ્યોમાં સત્તા પર આરૂઢ પક્ષ જે તે રાજ્યની જનતા માટે નીતનવી યોજનાઓ અમલી કરે છે અને અનેક જાહેરાતોની લહાણી પણ કરવામાં આવે છે. તેવો જ માહોલ સ્વાભાવિક ઉત્તરપ્રદેશમાં પણ જોવા મળી રહ્યો છે.
ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે પ્રદેશના બે કરોડ શ્રમિકો માટે ભરણ પોષણની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કામાં એક એક હજારની રકમ સીએમ યોગી આદિત્યનાથ શ્રમિકોના ખાતામાં ટ્રાન્સફર કરશે. યોગી સરકારે કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકાની શક્યતાઓને પગલે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને ભરણ પોષણ ભથ્થુ આપવાની જાહેરાત કરી છે.
ડિસેમ્બર થી માર્ચ એટલે કે ચાર મહિના સુધી પાંચ પાંચસો રૂપિયા ભથ્થુ આપવામાં આવશે. કુલ બે હજાર રૂપિયા આપવામાં આવશે જેમાં એક એક હજાર રૂપિયાના બે હપ્તા આપવામાં આવશે. આપને જણાવીએ કે હાલ પ્રદેશમાં કુલ નોંધાયંલા શ્રમિકોની સંખ્યા પાંત કરોડ 90 લાખ આઠ હજાર 745 છે.
આમાંથી ઇ શ્રમ પોર્ટલ પર રજીસ્ટર શ્રમીકોની સંખ્યા 3 કરોડ 81 લાખ 60 હજાર 725 છે અને બીઓસીડબલ્યુ બોર્ડના અંતર્ગત રજીસ્ટર્ડ શ્રમિકોના સંખ્યા એક કરોડ 27 લાખ 48 હજાર 20 છે. આમાંથી પ્રથમ તબક્કામાં કુલ બે કરોડ શ્રમિકોના ખાતામા આ ભરણ પોષણનું ભથ્થુ મોકલવામાં આવશે.
×