Gujarat

TAT & HMAT પ્રમાણપત્રની મુદતમાં વધારો, શિક્ષણમંત્રી જિતુ વાઘાણીની જાહેરાત

TAT અને HMATના પ્રમાણપત્રની મુદત અંગે મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, TAT અને HMATના પ્રમાણપત્રની મુદતમાં વધારો કરાયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું નવા નિયમો અમલમાં ન આવે ત્યાં સુધી પ્રમાણપત્ર માન્ય રહેશે.

વધુમાં જણાવ્યું હતું કે, નવા નિયમો અમલમાં ન આવે ત્યાં સુધી TAT અને HMATના પ્રમાણપત્ર માન્ય રહેશે.ઉલ્લેખનીય છે કે, શિક્ષક અભિરૂચિ કસોટી (TAT) અને આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT) ના પ્રમાણપત્રની મુદત જે 5 વર્ષ હતી. તેને નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશનના પરિપત્ર થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 માં સૂચવ્યા મુજબ TAT અને HMAT ના નવા નિયમો અમલમાં આવે ત્યાં સુધી માન્ય રાખવા મંજૂરી આપવામાં આવે છે. ત્યારે આજે રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા લેવાયેલા નિર્ણયથી ઘણા લોકોને મોટો ફાયદો મળશે.

ઉલ્લેખનીય છે કે, હાલ TAT અને HMATના પ્રમાણપત્રની મુદત 5 વર્ષની છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share