lata-mangeshkar-hoi
Entertainment India

લતા મંગેશકરની તબિયત ફરીથી બગડી, ફરીથી તેઓ વેન્ટીલેટર પર ખેસડાયા

ભારત રત્ન અને સ્વર ક્વીન લતા મંગેશકર છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે, લતા મંગેશકરની તબિયતમાં સુધારો થયો છે પરંતુ હવે કેટલાક અહેવાલો એમ કહી રહ્યા છે કે તેમની તબિયત ફરી એકવાર નાજુક થઇ ગઈ છે. લતા મંગેશકર વિશેના આ સમાચાર સામે આવ્યા બાદ તેમના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

લતા મંગેશકરની સારવાર કરી રહેલા પ્રિતિત સમદાનીએ આ સમાચારને સમર્થન આપ્યું છે કે તેમની હાલત ફરી એક વખત નાજુક થઇ ગઈ છે. લતા મંગેશકરને ગયા મહિને જ કોરોનાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેને ન્યુમોનિયા પણ થયો હતો.

લતા મંગેશકરની ગંભીર હાલતને જોતા તેમને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે એવા અહેવાલ હતા કે તેમની તબિયતમાં સુધારો થતાં તેમને વેન્ટિલેટર પરથી ઉતારી દેવામાં આવ્યા હતા. હવે એવા સમાચાર છે કે તેમને ફરી એકવાર વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. લતા મંગેશકરની તબિયત પર ડૉક્ટરો સતત નજર રાખી રહ્યા છે.

લતા મંગેશકરને ભારતીય સિનેમાની સૌથી સફળ ગાયિકા માનવામાં આવે છે. તેણે 13 વર્ષની ઉંમરે તેની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે વિવિધ ભારતીય ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. ભારત રત્ન ઉપરાંત, તેમને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ઘણા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share