દેશના પ્રખ્યાત કથક ડાન્સર અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા પંડિત બિરજુ મહારાજનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેમણે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. રવિવાર અને સોમવારની વચ્ચે રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા દ્વારા મહારાજ જીના નિધનની જાણકારી આપી છે.
લખનૌ ઘરાનાના બિરજુ મહારાજનું સાચું નામ બ્રિજમોહન મિશ્રા હતું. તેમનો જન્મ 4 ફેબ્રુઆરી 1938ના રોજ લખનૌમાં થયો હતો. લોકો તેમને આદરપૂર્વક પંડિતજી અથવા મહારાજજી કહીને બોલાવતા હતા.
કૌટુંબિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પંડિત બિરજુ મહારાજ રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે લગભગ 12:00 વાગ્યા સુધી તેમના પૌત્રો સાથે અંતાક્ષરી રમતા હતા. અંતાક્ષરી રમતી વખતે અચાનક તેની તબિયત લથડી અને તે બેહોશ થઈ ગયા હતા. તેમને દિલ્હીની સાકેત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા.
પંડિત બિરજુ મહારાજને થોડા દિવસો પહેલા કિડનીની બીમારી હોવાનું સામે આવ્યું હતું. તેઓ ડાયાલિસિસ પર હતા પરંતુ ગઈકાલે રાત્રે અચાનક તેમની તબિયત લથડી અને તેમનું અવસાન થયું.
પંડિત બિરજુ મહારાજનો પણ બનારસ સાથે સંબંધ હતો. તેમનું સાસરૂ બનારસ હતું. અલાહાબાદના તાલુકાના હાંડિયા જે પહેલા બનારસ આવતી હતી, તેમનો પરિવાર ત્યાંનો હતો, જેઓ પાછળથી લખનૌ રહેવા ગયા હતા. તે જ સમયે, લખનૌ ઘરાનાની રચના થઈ. તેઓ આ ઘરાના અગ્રણી નૃત્યાંગના હતા. આ સિવાય તેઓ કવિ, કોરિયોગ્રાફર અને શાસ્ત્રીય ગાયક પણ હતા. મહારાજ જીના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રખ્યાત કથક નર્તકો હતા.