ગણેશ જયંતિ મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. તે જ સમયે, દર મહિને, કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી તરીકે અને શુક્લ પક્ષની ચતુર્થી (ગણેશ જયંતિ વ્રત) વિનાયક ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને માઘ ગણેશ ચતુર્થી, માઘ વિનાયક ચતુર્થી અથવા તિલકુંડ ચતુર્થી પણ કહેવામાં આવે છે. વર્ષ 2022 માં ગણેશ જયંતિ આજે 4 ફેબ્રુઆરી, શુક્રવારે ઉજવવામાં આવી રહી છે. ગણેશ જયંતિ અથવા વિનાયક ચતુર્થીના દિવસે પૂજામાં લાલ કે પીળા કપડાં, લાલ ફૂલ અને લાલ ચંદનને સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. આ વખતે ગણેશ જયંતિ બે શુભ યોગ એટલે કે રવિ યોગ અને શિવ યોગમાં ઉજવવામાં આવશે. આ દિવસે વિધિ વિધાન પ્રમાણે ગૌરી ગણેશની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે.
એવું કહેવાય છે કે આ રીતે પૂજા કરવાથી ગણેશજી ભક્તોના જીવનમાંથી તમામ પ્રકારની પરેશાનીઓ અને દુઃખો દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે ગણેશ જયંતિના દિવસે ઉપવાસ કરવાથી અને ગણેશની જન્મ કથા સાંભળવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવો જાણીએ ગણેશ જયંતિના દિવસે પૂજા કરવાની રીત.
પવિત્ર માઘ માસમાં ગણેશ જયંતિ ખૂબ જ શુભ અવસર પર આવી રહી છે. આ વખતે ગણેશ જયંતિ બે શુભ યોગ એટલે કે રવિ યોગ અને શિવ યોગમાં ઉજવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વખતે ગણેશ જયંતિ પર શિવ યોગ રચાઈ રહ્યો છે, જે 4 ફેબ્રુઆરીની સાંજે 07.10 વાગ્યા સુધી છે. આ દિવસે રવિ યોગ પણ સવારે 07:08 થી બપોરે 03:58 સુધી છે. વર્ષ 2022 માં, માઘ મહિનામાં શિવયોગમાં ગણેશ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવશે.
ગણેશ જયંતિની પૂજા વિધિની રીત
- બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને ભગવાન ગણેશને પ્રણામ કરીને દિવસની શરૂઆત કરો.
- પ્રાતઃકાળે ઉઠી, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો.
- પૂજા સ્થળને સ્વચ્છ વસ્ત્ર દ્વારા સાફ કરો.
- મંદિર અથવા પૂજા સ્થળને ફૂલો અને રોશનીથી શણગાર કરો.
- આચમન કરીને પોતાને શુદ્ધ અને પવિત્ર વ્રતનો સંકલ્પ કરો.
- પૂજા સમયે પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે.
- શુભ મુહૂર્તમાં ગણેશજીની મૂર્તિ કે પોસ્ટરને બાજોઠ અથવા પાટલા પર લાલ કપડું બિછાવીને સ્થાપિત કરો.
- ગંગાજળ છાંટીને ગણપતિજીને પ્રણામ કરો.
- ગણેશજીને સિંદૂર અર્પણ કરો અને ધૂપ-દીપ પ્રગટાવો.
- પંચોપચાર કર્યા પછી ફળ, ફૂલ અને મોદકથી ભગવાન ગણેશની પૂજા કરો.
- ભગવાન ગણેશને મોદક, 21 લાડુ, ફૂલ, સિંદૂર, જનોઈ અને 21 દૂર્વા અર્પણ કરો.
- ગણેશજીને લાડુ ચઢાવો અને તેને ગરીબો અથવા બ્રાહ્મણોને વહેંચો.
- ગણેશજીની કથા, ચાલીસા અને આરતી કરો.આખો દિવસ ઉપવાસ રાખો. વ્રત ઈચ્છે તો દિવસમાં એક ફળ અને એક પાણી લઈ શકાય.
- સૂર્યાસ્ત પહેલા સાંજે ફરીથી સ્નાન કરો અને ભગવાન ગણેશની પૂજા કરો.
- બીજા દિવસે, પૂજા પૂર્ણ કર્યા પછી, ઉપવાસ ખોલો.
પૂજા દરમિયાન ગણેશજીના આ મંત્રનું સતત પઠન કરતા રહો
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥
गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारु भक्षणम्ं. उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्॥
Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. HoI આ અંગે પુષ્ટિ કરતું નથી.