Gujarat

રાજ્યમાં પ્રથમ વખત મલ્ટીપ્લેક્ષના વિશાળ પડદે મન કી બાતનું સાંસ્કૃતિક સેલ, ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું

Listen Article
Getting your Trinity Audio player ready...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના “મન કી બાત” નું મંચન અમદાવાદ ખાતે સૌ પ્રથમ વખત સાંસ્કૃતિક સેલ ગુજરાત પ્રદેશના માર્ગદર્શનથી સાંસ્કૃતિક સેલ કર્ણાવતી મહાનગર દ્વારા મલ્ટીપ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અનેક કલાકારો આ પ્રસંગે જોડાયા હતાં.

ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મહિલા મોરચાના પ્રદેશ મંત્રી શ્રધ્ધા ઝા, ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સાંસ્કૃતિક સેલના પ્રદેશ સહ સંયોજક જનક ઠક્કર, કર્ણાવતી મહાનગર સાંસ્કૃતિક સેલના સંયોજક અભિલાષ ઘોડા તથા સહ સંયોજક હિમાંશુ ચૌહાણ, પ્રદેશ સાંસ્કૃતિક સેલના અરવિંદ વેગડા, મહર્ષી દેસાઈ, સંજય પટેલ, તથા‌ કર્ણાવતી મહાનગર ના સાંસ્કૃતિક સેલના વિવેક શાહ, ઉમંગ આચાર્ય, ધર્મેન્દ્ર ભાવસાર, યશ રામી , દિનેશ કાનાણી સહિતના સદસ્યો સહિત અનેક કલાકારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.

આજના “મન કી બાત” ના આદરણીય મોદીજી મહત્વ ના મુદાઓ જેવા કે વિશ્ર્વ મ્યુઝીયમ દિવસની ઉજવણી, કેસ લેસ પેમેન્ટ, પીવાના પાણીની વ્યવસ્થા તથા વૈદિક ગણીત ના ઉપયોગ જેવા તમામ મુદ્દાઓને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતાં.

અત્રે નોંધનીય બાબત એ છે કે, રાજ્યની પ્રથમ ઘટના હતી કે “મન કી બાત” નુ મંચન મલ્ટિપ્લેક્સ સીનેમા ના વિશાળ પડદે થયું હોય.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share