Gujarat

દ્વારકાધીશના દ્વાર ભક્તો માટે સોમવારથી ફરીથી ખુલશે, કોરોના ગાઈડલાઇન્સ હેઠળ કરી શકશે દર્શન

દ્વારકાધીશ મંદિર 24 જાન્યુઆરીએ સોમવારથી ફરી ખોલવામાં આવશે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર કોરોના ગાઈડલાઇનના પાલન સાથે મંદિર પરિસર ખોલવામાં આવશે.ભક્તો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે કોવિડ ગાઈડલાઈન મુજબ દર્શન કરી શકશે. આ અંગેની જાહેરાત દ્વારકાધીશ વહીવટદાર સમિતિ અને જિલ્લા કલેકટરએ કરી છે.

કોરોનાના સતત વધતા કેસ વચ્ચે દ્વારકાધીશનું જગત મંદિર પણ બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો હતો. પરંતુ આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવ્યો હોવાનો યાત્રાળુ અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વેપારીઓ અને સ્થાનિકોએ તંત્રને આવેદનપત્ર આપીને આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો.

વેપારીઓનું કહેવુ છે કે સાત દિવસ સુધી મંદિર બંધ રહેવાના નિર્ણયને પગલે દૂરદૂરથી આવતા યાત્રાળુઓને પણ ધકકો પડી રહ્યો છે. સાથે જ વેપારીઓએ માગ મુકી છે કે, કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે મંદિર ખોલવામાં આવે. જેથી વેપારીઓના વેપાર ધંધા શરૂ રહી શકે અને આર્થિક સંકળામણનો સામનો કરવો ન પડે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share