Gujarat

ગુજરાતને મોતિયા -અંધત્વમુકત રાજ્ય બનાવવાની ઝૂંબેશનો CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડીટોરિયમથી ગુજરાતને મોતિયા-અંધત્વમૂક્ત રાજ્ય બનાવવાની ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. મોતિયા-અંધત્વમુકત ગુજરાત ઝૂંબેશનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં આગામી ર૦રપ સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને ૦.રપ ટકા સુધી લઇ જવાનો ધ્યેય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દર્શાવ્યો છે.

રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ રાજ્યમાં અમલી છે. ગુજરાતમાં 2014માં થયેલા સર્વે મુજબ અંધત્વનો જે દર 0.7ટકા હતો તે ઘટીને 2018-19માં 0.36 ટકા થયો છે. મોતિયાની અસર સામાન્ય રીતે 50 વર્ષ પછીની ઉંમરે થતી હોય છે. આની સારવાર સરળ શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણિ મુકાવીને કરાવી શકાય છે. ગુજરાતમાં આ હેતુસર આરોગ્ય વિભાગે તમામ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં મોતિયા ઓપરેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રતિ 10 લાખની વસ્તીએ 1000થી વધુ મોતિયા ઓપરેશન દર હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રહ્યું છે તેમ પણ ઉમેર્યુ હતું. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં જેનો ખર્ચ 10 થી 50 હજાર રૂપિયા જેટલો થાય તેવી ફેકો ઇમલ્સીફિકેશન દ્વારા નેત્રમણિવાળા ઓપરેશન ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે.

એટલું જ નહિ, સમગ્ર દેશમાં હાઇડ્રોફોબીક ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ વિનામૂલ્યે પુરૂં પાડનારૂં એકમાત્ર રાજ્ય ગુજરાત છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં મોતિયાના કારણે અંધ હોય તેવા વ્યક્તિઓની શસ્ત્રક્રિયા કરીને મોતિયા અંધત્વમુકત રાષ્ટ્રનિર્માણનો નિર્ધાર કર્યો છે.
ગુજરાત પ્રધાનમંત્રીના આ નિર્ધારને સંપૂર્ણતઃ પાર પાડવા પ્રતિબદ્ધ છે. તેની ભૂમિકા ભૂપેન્દ્ર પટેલે આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં બેય આંખે મોતિયાના કારણે અંધ હોય એટલે કે જેમની દ્રષ્ટિ બંને આંખે 3 મીટર કરતાં પણ ઓછી હોય તેવી તમામ વ્યક્તિઓને શોધીને મોતિયા-અંધત્વમુકત ગુજરાતની આ ઝૂંબેશ અન્વયે સરકારી હોસ્પિટલો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં વિનામૂલ્યે ઓપરેશન કરવાનું આયોજન હાથ ધર્યુ છે.

મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય કાર્યક્રમમાં 18 વર્ષ સુધીના બાળકોની દ્રષ્ટિ ચકાસણી કરીને ખામી ધરાવતા તમામ બાળકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ દ્રષ્ટિ તેવી સૃષ્ટિની વિભાવના સમજાવતાં કહ્યું કે, સ્વસ્થ દ્રષ્ટિ માટે સ્વસ્થ ખોરાક પણ એટલો જ જરૂરી છે.
પ્રધાનમંત્રીએ સ્વસ્થ ખોરાક, રાસાયણિક ખાતરમુકત ખાદ્યાન્ન માટે પ્રાકૃતિક ખેતીનું જે આહવાન કર્યુ છે તેને અપનાવી સ્વસ્થ ખોરાકથી સ્વસ્થ દ્રષ્ટિ અને સ્વસ્થ-સમૃદ્ધ ગુજરાતની નેમ પાર પાડવા તેમણે અનુરોધ કર્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે આ ઝૂંબેશમાં સેવાદાન, સમયદાન અને યોગદાન આપી રહેલા સૌ સેવા કર્મીઓની સરાહના પણ કરી હતી.
આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે એ સૌનું સ્વાગત કર્યું હતું.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share