Gujarat

અમદાવાદના કાંકરિયા લેક ખાતે આવેલા હોરર હાઉસમાં લાગી ભીષણ આગ,જાનહાનિ ટળી

શુક્રવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ કાંકરિયાના હોરર હાઉસમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે હાઉસમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની 5 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કાંકરિયાના હોરર હાઉસમાં શુક્રવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગવાના કારણે હાઉસની અંદરની ડિસ્પ્લે, લાકડા, કપડાં જેવી વસ્તુઓને મોટું નુકસાન થયું હતું. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હોરર હાઉસમાં બનેલી આ દુર્ઘટનામાં તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.જો કે મોડી રાત્રે આગ લાગી હોવાના કારણે મોટી જાનહાની ટળી છે. રાત્રે હોરર હાઉસમાં કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ આગ લાગવાના કારણે હાઉસનો સામાન બળીને રાખ થઈ ગયો છે.

અત્રે નોંધનીય છે કે વર્ષ 2019માં પણ કાંકરિયાના બાલવાટિકામાં રાઇડ તૂટી પડતા એક મોટી દુર્ઘટના થઈ હતી. 30 ફૂટ ઊંચેથી રાઇડ નીચે પટકાઈ હતી. જેમાં 2 લોકોનાં કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 29 લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share