Listen Article
Getting your Trinity Audio player ready...
|
રાજકીય સલાહકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પરંતુ હવે તમામ અટકળોને પાયાવિહોણા ગણાવતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું છે કે પીકે કોંગ્રેસની ઓફરને ફગાવી દીધી છે.
જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં મહાસચિવનું પદ સંભાળી શકે છે. આ અંગે અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે પાર્ટી હાઈકમાન્ડ સામે 18 કલાકની રજૂઆત કરી. પીકેની રણનીતિ અનુસાર પાર્ટી 2024ની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હોવાની ચર્ચા થઈ હતી.
તેમણે ટ્વીટ કર્યું, “મેં EAG તરીકે પાર્ટીમાં જોડાવા અને ચૂંટણીની જવાબદારી લેવાની કોંગ્રેસની ઉદાર ઓફરને ફગાવી દીધી છે. મારા નમ્ર અભિપ્રાય મુજબ, પરિવર્તનકારી સુધારા દ્વારા માળખાકીય સમસ્યાઓના ઊંડાણપૂર્વક ઉકેલ લાવવા માટે પક્ષને મારા કરતાં વધુ નેતૃત્વ અને સામૂહિક ઇચ્છાશક્તિની જરૂર છે.