ગુજરાત કોંગ્રેસમાં સતત કકળાટ અને નારાજગી જોવા માટે મળી રહી છે. ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ ટવીટ કરીને નારાજગી વ્યક્ત કરી છે. AMCના કોંગ્રેસ પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ ઉર્દુમાં શાયરી ટવીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસ પક્ષને નુકસાન કરતા લોકોને આડેહાથે લીધા છે. તેમણે પક્ષને પક્ષમાં રહીને નુક્સાન કરતાં લોકો પર સોશિયલ મીડિયામાં શાયરી પોસ્ટ કરીને નિશાન સાધ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, તઓ ટૂંક સમયમાં કોંગ્રેસને નુકસાન કરનારા નેતાઓના નામ જાહેર કરશે.
દિનેશ શર્માએ સોશિયલ મીડિયામાં હું ચૂપ નહીં રહું તેવું લખીને સ્પષ્ટ સંકેતો આપ્યાં હતાં કે, તેઓ દિલ્લી સુધી કોંગ્રેસ વિરોધી તત્વોની ફરિયાદ કરીશ અને જરૂર પડશે તો નેતાઓના નામ જાહેર કરીશ. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓ લોહિ રેડી કોંગ્રેસ પક્ષનું સિંચન કર્યું છે. પરંતુ આજે પાર્ટીમાં કેટલાક ખોટા નિર્ણય લેવામા આવી રહ્યા છે.