છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાવાયરસના કુલ 16,051 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતા 19.6 ટકા ઓછા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 28 લાખ 38 હજાર 524 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના કારણે કુલ 206 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 12 હજાર 109 લોકોના મોત થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે ઘટીને 2,02,131 પર આવી ગઈ છે. સક્રિય કેસ કુલ ચેપના 0.47 ટકા રહ્યા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ વધીને 98.33 ટકા થઈ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 37 હજાર 901 દર્દીઓ સાજા થયા છે, જે નવા દર્દીઓની સંખ્યા કરતા બમણા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 21 લાખ, 24 હજાર, 284 લોકોએ આ મહામારીને માત આપી છે.
દેશમાં દૈનિક પોઝિટિવિટી દર હવે ઘટીને રેકોર્ડ 1.93 ટકા પર આવી ગયો છે, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી દર હવે ઘટીને 2.12 ટકા પર આવી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં (20 ફેબ્રુઆરી સુધી) કુલ 76.01 કરોડ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 8,31,087 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ, દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 175.46 કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.