Gujarat Main

જયરાજસિંહ પરમાર 22મી તારીખે કમલમ ખાતે વિધિવત રીતે કેસરિયો ખેસ ધારણ કરશે

કોંગ્રેસના પૂર્વ નેતા જયરાજસિંહ પરમારે પાર્ટીની સિસ્ટમtthi કંટાળીને કોંગ્રેસમાંથી 37 વર્ષ બાદ રાજીનામું આપી દીધું હતું. જયરાજસિંહ હવે વિધિવત રીતે 22મી તારીખે ભારતીય જનતા પાર્ટીમાં કમલમ ગાંધીનગર ખાતે સવારે 11 કલાકે જોડાશે તેવી ટવીટ કરીને માહિતી આપી હતી.

જયરાજસિંહે ટવીટમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ સાથેની મુલાકાતનો ફોટો પોસ્ટ કર્યો છે. આ સાથે જ તેમના દીકરા કુંવર હર્ષાદિત્યનો ફોટો પોસ્ટ કરી મંગળવારે સવારે 11 કલાકે કમલમ ખાતે વિધિવત જોડાવવાની જાહેરાત કરી છે.

HOI ના ખાસ સૂત્રોના જણાવ્યા મુજબ, જયરાજસિંહે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ સાથે સતત બે કલાક સુધી બેઠક કરી હતી અને ચર્ચા કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવાનો નિર્ણય જયરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો.

જયરાજસિંહે રાજીનામાં બાદ પોતાના ફેસબૂક પેજ પર કાર્યકર્તાઓને સંબોધતો એક પત્ર પણ લખ્યો હતો અને તેમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે, હવે તમારો ભાઈ થાક્યો છે, લડવાથી નહીં, પરંતુ લડવા નહીં માંગતા નિષ્ક્રિય નેતાઓથી થાક્યો છે.

જયરાજસિંહે રાજીનામાં બાદ સૌથી પહેલો Exclusive ઇન્ટરવ્યૂ Harmony of India ને આપ્યો હતો જુઓ નીચે વિડીયોમાં :

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share