મધ્યપ્રદેશના કટનીમાં નર્મદા વેલી પ્રોજેક્ટ ટનલમાં થયેલા અકસ્માતમાં ફસાયેલા સાત મજૂરોને બચાવી લેવાયા છે. કટની કલેક્ટર પ્રિયંક મિશ્રાએ જણાવ્યું કે જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે શનિવારે ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં 9 મજૂરો દટાયા હતા. આ સુરંગ સ્લીમનાબાદ વિસ્તારના NH-30ના તળિયેથી નીકળી હતી, જેમાં અકસ્માત થયો હતો. હાલમાં નેશનલ હાઈવેનો જર્જરિત ભાગ હોવાથી ડાયવર્ઝન સાથે રિપેરીંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન આ અકસ્માત સામે આવ્યો છે. ટનલમાં થયેલા અકસ્માત બાદ પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
×