નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું…તેને લઈને રાજકીય પક્ષોએ પોતાનો મત વ્યકત કર્યો હતો..સત્તા પક્ષના નેતાઓએ બજેટને આવકાર્યું હતું..જયારે વિપક્ષે બજેટમાં કંઈ ન હોવાના આક્ષેપો કર્યા હતા…કોણે શું કહ્યું?
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું…કેન્દ્રીય બજેટ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી હોવાના વિપક્ષે આરોપો મુક્યા છે…તેમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બેરોજગારો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું ન હોવાના આરોપ મુકાયા છે..આ ઉપરાંત કોરોના જેવી મહામારી હોવા છતા સ્વાસ્થ્યને લઈને કોઈ પ્રકારની મોટી જાહેરાત ન કરાઈ હોવાના આક્ષેપો લાગ્યા છે…. ભાજપ આ બજેટને મધ્યમવર્ગનું બજેટ ગણાવી રહ્યા છે, જ્યારે વિપક્ષ સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે. બજેટ વિશે મોદીએ કહ્યું કે, આ બજેટ 100 વર્ષની મહામારી વચ્ચે વિકાસનો નવો વિશ્વાસ લઈને આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીઆ આ બજેટ પર પ્રતીક્રિયા આપતા કહ્યું કે, મોદી સરકારની આર્થિક નીતિની ખામીઓ જનતાએ સહન કરવી પડશે. આર્થિક સર્વેક્ષણ 2022ના આંકડાએ મોદી સરકારની નિષ્ફળતાની પોલ ખોલી દીધી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેને મોદી સરકારનું ઝીરો સમ બજેટ ગણાવ્યું છે. રાહુલે કહ્યું છે કે, મોદી સરકારનું ઝીરો સમ બજેટ છે. સેલરી ક્લાસ, ગરીબ અને વંચિત, યુવા, ખેડૂત અને MSMEને કશું મળ્યું નહીં…અને કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ આ બજેટ પર સવાલ ઉભા કર્યા છે તો બીજી તરફ વાત કરીએ તો મહિલા સાંસદ અને કોંગ્રેસમાંથી શિવસેનામાં આવેલા પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ બજેટને વખોડ્યુ હતુ અને કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર બજેટ રજૂ કર્યુ હોવાનો મત વ્યકત કર્યો હતો..આ ઉપરાંત તેમણે ક્રિપ્ટો કરન્સીને લઈને પણ પોતાનો મત વ્યકત કર્યો હતો…
મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યોમાં ભાજપ સાથે ગઠબંધન કરનારી રિપબ્લીકન પાર્ટીના અધ્યક્ષ રામદાસ આઠવલેએ પોતાના અંદાજમાં બજેટને આવકાર્યું હતું..અને વિપક્ષના નેતાઓના નિવેદનને વખોડીને બજેટને તમામ લોકો આવકારી તેવી અપીલ કરી હતી.
આમ બજેટ 2022-23ને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે.આગામી સમયમાં પાંચ રાજ્યમાં ચૂંટણી છે ત્યારે આ બજેટ સરકારને ફાયદો કરાવે છે કે અન્ય વિપક્ષોને મદદરૂપ બને છે તે જોવાનું રહ્યું હાલ આ બજેટને લઈને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં આક્ષેપ પ્રતિઆક્ષેપનો દૌર ચાલી રહ્યો છે.