દ્વારકાધીશ મંદિર 24 જાન્યુઆરીએ સોમવારથી ફરી ખોલવામાં આવશે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર કોરોના ગાઈડલાઇનના પાલન સાથે મંદિર પરિસર ખોલવામાં આવશે.ભક્તો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે કોવિડ ગાઈડલાઈન મુજબ દર્શન કરી શકશે. આ અંગેની જાહેરાત દ્વારકાધીશ વહીવટદાર સમિતિ અને જિલ્લા કલેકટરએ કરી છે.
કોરોનાના સતત વધતા કેસ વચ્ચે દ્વારકાધીશનું જગત મંદિર પણ બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો હતો. પરંતુ આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવ્યો હોવાનો યાત્રાળુ અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વેપારીઓ અને સ્થાનિકોએ તંત્રને આવેદનપત્ર આપીને આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો.
વેપારીઓનું કહેવુ છે કે સાત દિવસ સુધી મંદિર બંધ રહેવાના નિર્ણયને પગલે દૂરદૂરથી આવતા યાત્રાળુઓને પણ ધકકો પડી રહ્યો છે. સાથે જ વેપારીઓએ માગ મુકી છે કે, કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે મંદિર ખોલવામાં આવે. જેથી વેપારીઓના વેપાર ધંધા શરૂ રહી શકે અને આર્થિક સંકળામણનો સામનો કરવો ન પડે.