છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 3 લાખ 33 હજાર, 533 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 92 લાખ, 37 હજાર 264 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 525 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 89 હજાર 409 લોકોના મોત થયા છે. આજના આંકડામાં કેરળના 62 કેસ પણ બેકલોગના આંકડા તરીકે ઉમેરવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 21,87,205 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ ચેપના 5.57 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ ઘટીને 93.18 ટકા પર આવી ગયો છે.
જો કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 2 લાખ 59 હજાર 168 દર્દીઓ સાજા થયા છે, જે નવા દર્દીઓની સંખ્યા કરતા ઓછા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ, 65 લાખ, 60 હજાર, 650 લોકોએ આ મહામારીને માત આપી છે.
દેશમાં દૈનિક પોઝિટિવિટી દર હવે વધીને રેકોર્ડ 17.78 ટકા થઈ ગયો છે. સાપ્તાહિક પોઝિટિવિટી દર પણ વધીને 16.87% થયો છે. અત્યાર સુધીમાં (22 જાન્યુઆરી સુધી) દેશમાં કુલ 71.55 કરોડ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 18,75,533 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.