પાકિસ્તાની પાયલટે ચાલુ સફરમાં પ્લેન ઉડાડવાથી કર્યો ઇન્કાર, કારણ જાણીને આશ્ચર્યમાં મુકાયા યાત્રિકો અને પછી…
પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ના પાઈલટે, રવિવારે ઈમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ, તેની શિફ્ટ પૂરી થઈ ગઈ હોવાનું કહીને ટેક ઓફ કરવાનો ઈન્કાર કર્યો હતો. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, ફ્લાઇટ PK-9754 રિયાધથી ઉડાન ભરી હતી અને ઈસ્લામાબાદ જવાની હતી. જોકે ખરાબ હવામાનના કારણે ફ્લાઈટનું સાઉદી અરેબિયાના દમ્મામમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સમસ્યા ત્યારે સર્જાઈ જ્યારે પાઈલટે ઈમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ ટેક ઓફ કરવાનો ઈન્કાર કરી દીધો. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પાઇલટ-જેનું નામ આપવામાં આવ્યું નથી-તેની ફરજનો સમય પૂરો થઈ ગયો હોવાનો દાવો કરીને ફ્લાઇટ ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો. દરમિયાન, વિમાનની અંદરના મુસાફરોએ ઉતરવાની ના પાડી દીધી અને તેમની મુસાફરીમાં વિલંબનો વિરોધ શરૂ કર્યો. સ્થિતિ વધુ તંગ બનતાં દમ્મામ એરપોર્ટની સુરક્ષાને કાબૂમાં લેવા બોલાવવામાં આવી હતી. અંતે, ફસાયેલા મુસાફરોને પાકિસ્તાનમાં ઇસ્લામાબાદની તેમની મુસાફરી ફરી શરૂ ન થાય ત્યાં સુધી તેઓને એક હોટલમાં રાખવામાં આવ્યા હતા. ગલ્ફ ન્યૂઝે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે, "પાયલોટે આરામ કરવો જોઈએ કારણ કે તે ફ્લાઇટની સલામતી માટે જરૂરી છે. તમામ મુસાફરો રાત્રે 11 વાગ્યે ઈસ્લામાબાદ એરપોર્ટ પર પહોંચશે, ત્યાં સુધીમાં હોટલોમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે." પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ એ પાકિસ્તાનની રાષ્ટ્રીય વાહક છે. તેણે ગયા વર્ષે નવેમ્બરમાં સાઉદી અરેબિયામાં તેની ફ્લાઇટ કામગીરીનો વિસ્તાર કર્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે ઇમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરો ફસાયા હોય. ગયા વર્ષે નવેમ્બરમાં, ડબલિન, આયર્લેન્ડમાં તેમની યુએસ-જાઉન્ડ ફ્લાઈટના એન્જિનમાં નિષ્ફળતાના કારણે ડઝનેક લોકો યુરોપમાં ફસાયેલા હતા.
×