corona virus in india
India

ભારતમાં 15.8%ના વધારા સાથે 1.94 લાખ નવા કોરોના કેસ, પોઝિટિવિટી રેટ 11% ટકા

બુધવારે ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં વધારો નોંધાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન, 1,94,720 નવા COVID-19 કેસ નોંધાયા છે. મંગળવારની સરખામણીમાં આજે નવા કેસોમાં 15.8 ટકાનો વધારો થયો છે. મંગળવારે 1.68 લાખથી વધુ કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 442 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. આ સાથે, કોવિડને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4,84,655 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાક દરમિયાન, નવા કેસોની સરખામણીમાં સાજા થયેલા દર્દીઓની ઓછી સંખ્યાને કારણે સક્રિય કેસોમાં વધારો થયો છે. દેશમાં 9 લાખથી વધુ સક્રિય કેસ છે એટલે કે 9,55,319 દર્દીઓ હાલમાં કોરોનાની સારવાર હેઠળ છે. સક્રિય કેસ કુલ કેસના 2.65 ટકા છે. રિકવરી રેટ ઘટીને 96.01 ટકા થયો છે.

એક દિવસમાં 60,405 દર્દીઓ સાજા થયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,46,30,536 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. ભારતમાં દૈનિક ચેપનો દર વધીને 11.05 ટકા થયો છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 9.82 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 69.52 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share