વિશ્વભરમાં ઓમિક્રોનના વધતા જતા કેસોની વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટનો ફેલાવો કોવિડ રોગચાળાને સ્થાનિક રોગ તરફ લઈ જઈ રહ્યો છે. યુરોપિયન યુનિયન (EU) ના ડ્રગ રેગ્યુલેટરે મંગળવારે જણાવ્યું હતું કે ઓમિક્રોન સ્ટ્રેઇનનો ફેલાવો કોવિડને એક સ્થાનિક રોગ તરફ ધકેલી રહ્યો છે જેની સાથે માનવતા જીવી શકે છે, જોકે તે અત્યારે મહામારી બનીને સામે દેખાઈ રહ્યો છે.
યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) એ સામાન્ય વસ્તી માટે ચોથી રસી રજૂ કરવા અંગે શંકા વ્યક્ત કરી છે, તેમણે કહ્યું કે, વારંવાર બૂસ્ટર ડોઝ આપવો તે “ટિકાઉ” રણનીતિ નથી.
યુરોપિયન મેડિસિન એજન્સીના વેક્સિન વ્યૂહરચના વડા માર્કો કેવેલેરીએ કહ્યું, “કોઈને ખબર નથી કે આપણે કોવિડની આ ટનલના અંતમાં ક્યારે આવીશું, પરંતુ આપણે ત્યાં હોઈશું એ નક્કી છે.”
“ઓમિક્રોન સાથે સામાન્ય વસ્તીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને ઘણી કુદરતી રોગપ્રતિકારક શક્તિ મળશે. અમે ઝડપથી એવા સંજોગો તરફ આગળ વધી રહ્યા છીએ જે સ્થાનિક રોગની નજીક હશે,” તેમણે કહ્યું.
જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “આપણે ભૂલી જવું જોઈએ કે આપણે હજી પણ રોગચાળાની વચ્ચે છીએ”. ઓમિક્રોનના કેસ ઝડપથી આરોગ્ય તંત્ર પર બોજ વધારી રહ્યા છે.
આ પહેલા મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું કે આગામી બે મહિનામાં યુરોપમાં અડધાથી વધુ લોકો આ પ્રકારથી સંક્રમિત થઈ શકે છે. ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી છે કે વારંવાર બૂસ્ટર ડોઝ એ યોગ્ય વ્યૂહરચના નથી.
“જો અમારી પાસે એવી વ્યૂહરચના છે કે જ્યાં અમે દર ચાર મહિને બૂસ્ટર ડોઝ આપીએ, તો અમે રોગપ્રતિકારક પ્રતિભાવ સાથે સંભવિત સમસ્યાઓને દૂર કરીશું,” EMA ના કવલ્લરીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું, “અને બીજી વાત એ છે કે લોકોને વારંવાર બૂસ્ટર ડોઝને કારણે થાક જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.” તેમણે કહ્યું કે દેશોએ લાંબા અંતરાલ પર બૂસ્ટર ડોઝ લાગુ કરવા વિશે વિચારવાનું શરૂ કરવું જોઈએ.