વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર (પંજાબ) મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામીઓની તપાસ માટે ગૃહ મંત્રાલયે એક સમિતિની રચના કરી છે. ત્રણ સભ્યોની સમિતિનું નેતૃત્વ કેબિનેટ સચિવાલયના સચિવ (સુરક્ષા) સુધીર કુમાર સક્સેના કરશે. તેમાં આઈબીના જોઈન્ટ ડાયરેક્ટર બલબીર સિંઘ અને એસ સુરેશ, આઈજી, એસપીજી સામેલ હશે. કમિટીને વહેલામાં વહેલી તકે રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર (પંજાબ) મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામીઓની તપાસ માટે ગૃહ મંત્રાલયે એક સમિતિની રચના કરી છે. ત્રણ સભ્યોની સમિતિનું નેતૃત્વ કેબિનેટ સચિવાલયના સચિવ (સુરક્ષા) સુધીર કુમાર સક્સેના કરશે. તેમાં આઈબીના જોઈન્ટ ડાયરેક્ટર બલબીર સિંઘ અને એસ સુરેશ, આઈજી, એસપીજી સામેલ હશે. કમિટીને વહેલામાં વહેલી તકે રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.
16 પૂર્વ DGP સહિત 27 IPS ઓફિસર્સે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, PMની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને કાર્યવાહીની કરી માગ
પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકનો મામલો ગરમી પકડી રહ્યો છે. દેશના 16 પૂર્વ DGP સહિત 27 IPS ઓફિસર્સે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદને પત્ર લખીને દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે. પત્રમાં પંજાબ સરકારે PMની યાત્રા દરમિયાન તથાકથિત પ્રદર્શનકારીઓના સહયોગથી જાણીજોઈને અને આયોજનબદ્ધ સુરક્ષા ચૂક સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે.
કેન્દ્ર સરકારે આ ઘટના માટે પંજાબની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી છે અને તેની પાસેથી રિપોર્ટ માંગ્યો છે. જો કે, પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે વડા પ્રધાનની સુરક્ષામાં કોઈ ખામી નથી અને તેની પાછળ કોઈ રાજકીય હેતુ નથી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનના સમયપત્રકમાં અચાનક ફેરફાર થવાને કારણે આ ઘટના બની હતી અને વડાપ્રધાનના જીવને ખતરો હોય એવી કોઈ સ્થિતિ નથી.
આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે મુખ્યમંત્રીએ એક સમિતિની રચના કરી છે. નિવૃત્ત ન્યાયમૂર્તિ મહેતાબ સિંહ ગિલ અને મુખ્ય સચિવ, ગૃહ અને ન્યાય, અનુરાગ વર્માને ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. ચન્નીએ કહ્યું કે રિપોર્ટ આવ્યા બાદ જ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને તાત્કાલિક અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે કે તેણે જરૂરી તૈનાતની ખાતરી કરી નથી, જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે વડા પ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ગુરુવારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય વડાપ્રધાનની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી વિશે માહિતી એકત્રિત કરી રહ્યું છે અને “મોટા અને કડક નિર્ણયો” લેવામાં આવશે. ઠાકુરે કહ્યું કે કેટલાક લોકો આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ ગયા છે અને મીડિયા સહિત અન્ય ક્ષેત્રના લોકોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે કહ્યું, “કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ કાર્યવાહીની વાત કરી છે. માહિતી એકત્ર કર્યા પછી, ગમે તે પગલાં… મોટા અને કઠિન નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવશે.