રવિવારે વહેલી સવારે છોટાઉદેપુરથી અલીરાજપુર જઇ રહેલી ખાનગી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો છે. ચાંદપુર રેલિંગ તોડીને બસ નદીમાં 15 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં એક વર્ષનું એક બાળક સહિત 3 લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ અકસ્માતમાં 28 લોકો ઇજાગ્રસ્ત થયા છે જેઓને અલીરાજપુરની હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ખાનગી બસ ભૂજથી મધ્યપ્રદેશના બડવાની જઇ રહી હતી. આ અકસ્માત સર્જાતા જ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બસને નદીમાંથી બહાર કાઢવા માટે 3 જેસીબીની મદદ લેવામાં આવી હતી. અકસ્માત થતા જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રવિવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ડ્રાઇવરને ઝોકુ આવી જતા બસ મેલખોદરા નદીમાં ખાબકી હતી. જોકે આસપાસના લોકોએ રાહત અને બચાવ કામગીરી તાત્કાલીક શરૂ કરી હતી. 39 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જેમાં 28 લોકો ઇજાગ્રસ્ત હતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ અલીરાજપુરના કલેક્ટર મનોજ પુષ્પ તેમજ એસપી મનોજકુમાર સિંહ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
×