અમદાવાદના સરદાર પટેલ આં.રા.એરપોર્ટને ‘એસોકેમ’
દ્વારા વર્ષના શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટનો ખિતાબ
દેશની પ્રતિષ્ઠિત એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ASSOCHAM) દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટને વર્ષના શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટ તરીકેનો ખિતાબ મેળવ્યો છે.
રશિયા યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલમાં વધુ પાંચ ટકા મોંઘુ થયું,ભારત પર પડશે અસર
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે અને તેની સાથે જ કાચા તેલની કિંમતમાં પણ આગ લાગી છે
આજથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો થશે પ્રારંભ,નાણાંમંત્રી કનુ દેસાઈ કરશે રજૂ
આજથી(2 માર્ચ, બુધવાર)થી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે. જેમા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા 3 માર્ચે રજૂ કરવામાં આવશે.
કિવમાં હવે એકપણ ભારતીય નહીં, વતન વાપસી માટે આગામી ત્રણ દિવસમાં 26 પ્લેન ભરશે ઉડાન
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે આગામી ત્રણ દિવસમાં 26 ફ્લાઈટ ચલાવવામાં આવશે અને તેના દ્વારા યુક્રેનના પડોશી દેશો રોમાનિયા, પોલેન્ડ અથવા હંગેરીમાંથી ભારતીયોને પરત લાવવામાં આવશે.
મહાશિવરાત્રિ પર ભાંગ પીને હેંગઓવર થઇ ગયા હોય તો અપનાવો આ છ ઘરગથ્થુ ઉપચાર
મહાશિવરાત્રી પર ભગવાન શિવને ભાંગ ચઢાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વધુ ભાંગનું સેવન કરે છે, તો તેને કેનાબીસ હેંગઓવર થાય છે.
યુક્રેનના ખાર્કિવમાં ગોળીબારી દરમિયાન ભારતીય વિદ્યાર્થીનું મોત વિદેશ મંત્રાલયે કરી પુષ્ટિ
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, “દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.
પૂર્વાંચલમાં કોંગ્રેસ પાસે માત્ર એક ધારાસભ્ય છે, શું તે જીતની હેટ્રિક લગાવી શકશે?
કુશીનગર જિલ્લાની તમકુહિરાજ બેઠક પરથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે અને ત્રીજી વખત ચૂંટણી મેદાનમાં છે. આવી સ્થિતિમાં શું તે જીતની હેટ્રિક ફટકારી શકશે?
રશિયાની સામે યુક્રેન છે બહાદુર,સ્પષ્ટ રીતે દેખાય છે આ મેપમાં
યુક્રેનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર હવે એક થ્રેડ શેર કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે કેવી રીતે યુક્રેન રશિયા કરતાં નાનું હોવા છતાં મજબૂત રીતે લડી રહ્યું છે.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કોઈપણ સંજોગોમાં કિવ છોડવા સલાહ
ભારતે આજે તેના તમામ નાગરિકોને યુક્રેનની રાજધાની કિવને તાત્કાલિક છોડી દેવા વિનંતી કરી છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસની તાજેતરની એડવાઈઝરી અનુસાર, વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને આજે તરત જ કિવ છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય દૂતાવાસે પોતાની એડવાઈઝરીમાં કહ્યું…